પુરિમતાલ તીર્થ
આ તીર્થ ઋષભદેવ પ્રભુના સમયનું કોશલદેશની અયોધ્યા નગરીના ઉપનગર આ પુરિમતાલ હતું. અહીંના શકટમુખ ઉધાનમાં વટ વૃક્ષની નીચે શ્રી ઋષભદેવ ભગવાનને શુક્લ ધ્યાન ધ્યાતા મહા વદ 11 ના દિવસે કેવળજ્ઞાન થયું હતું. તેથી તે અક્ષયવટ વૃક્ષ નામે પ્રખ્યાત , ત્યાં પ્રભુ ચરણ પાદુકા હતા , જે વિક્રમ સંવત 1556 સુધી હતાંનો ઉલ્લેખ મળે છે. જે અત્યારે નથી પણ ત્રિવેણી સંગમ પાસેના કિલ્લામાં વટ વૃક્ષ છે . ત્યાં પ્રભુને કેવળજ્ઞાન થયું કહેવાય છે. અહીં 14 સદીમાં શીતલનાથ ભગવાનનું જિનાલય હતું.
આદિનાથ પ્રભુનું પ્રથમ સમોવસરણ અને પ્રથમ દેશના અહીંયા જ થયેલ. ત્યારે દર્શને આવેલા મરુદેવી માતાને હાથીની અંબાડી પર કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થયેલ , ત્યારે પ્રભુના પૌત્ર ઋષભસેન અહીંના રાજા હતા. તે પ્રભુની દેશના સાંભળીને પ્રથમ ગણધર બનેલ. આ અવસર્પીણી કાળમાં પ્રથમ ચર્તુવિધ સંઘની સ્થાપના અને પ્રથમ દ્વાદશાંગીની રચના આ ભૂમિમાં થયેલ. પછીના તીર્થંકરો અહીં વિચાર્યા હતા , ભગવાન મહાવીર પણ અહીંના શકટમુખ ઉધાન માં ધ્યાને રહેલ ત્યારે અહીંના રાજા મહાબળ હતા. પછી અહીં સમવસરણમાં દેશના પણ આપેલ. અહીં ભવ્ય જિનાલયમાં અતિ પ્રાચીન અદ્ભૂત શ્વેત વર્ણના 60 સે.મી. ના શ્રી આદિશ્વર ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં ધર્મશાળા છે. આ તીર્થ ઉત્તરપ્રદેશના અલ્હાબાદથી 3 કિ. મી. દૂર છે.
No comments:
Post a Comment