Sunday, 24 May 2020

Arihant vandnavali

અરિહંત વંદનાવલીના રચયિતા " શ્રી ચંદ્ર"
➖➖➖➖➖➖➖➖➖
સફળ સંઘની જીભે વસી ગયેલી, "અરિહંત વંદનાવલી" આ સૌભાગ્યવંતી ગુજરાતી રચનાના રચયિતા શ્રી ચંદુલાલ શંકરચંદ શાહ છે. તેમનો જન્મ વિ.સં.૧૯૬૩ (ઈ.સ. ૧૯૦૭)માં થયેલો. તેઓ અમદાવાદના વતની હતા. ઈ.સ.૧૯૨૭માં તેમનું લગ્ન થયેલું. પત્નીનું નામ લીલાવતી હતું. ઈ.સ.૧૯૬૨માં તેમનો સ્વર્ગવાસ થયો. ૫૫ વર્ષ જેટલા આયુષ્યમાં તેઓએ જીવનને અનેક ગુણોથી સમૃદ્ધ બનાવી દીધું હતું.

અમદાવાદમાં બાલ્યકાળમાં વિદ્યાભ્યાસ સી . એન . વિદ્યાલયમાં કર્યો હતો. બાદ, કોલેજ કરી ગ્રેજ્યુએટ થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે ઝંપલાવ્યું, તેમાં જેલવાસ થયો. 'જન્મભૂમિ પ્રવાસી' માં રીપોર્ટર તરીકે કામ કર્યું, પછી દેશ-વિદેશના પ્રવાસો કર્યા. મુંબઈ - કોલકાતા- રંગૂન - પીનાંગ - સિંગાપુર - ઈંગ્લેન્ડ - અમેરિકા વગેરે દેશોમાં ઘૂમીને વિજ્ઞાનનો અઠંગ અભ્યાસ કર્યો. તે સમયે તેમણે દૂધમાંથી સીધું ઘી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. આમ નવી સિદ્ધિ હાંસલ કરી, તેઓ અમદાવાદ આવ્યા. સ્વજનો, મિત્રો સમક્ષ રજૂ કરી. તેમની સિદ્ધિની સર્વે પ્રસન્નતા કરતા હતા, પણ તેમની માતા તેમાં ખુશ ન હતાં. એ ચંદુભાઈને ખ્યાલ આવી ગયો. મોકો મળતાં તેમણે માને પૂછ્યું; "બા ! તમે મારી પ્રગતિથી ખુશ નથી ?"

બાએ જવાબ આપ્યો, કઈ માં પોતાના દીકરાના વિકાસથી ખુશ ન હોય ? પણ આને પ્રગતિ કે વિકાસ કેમ કહેવાય ? "આત્માનો ઉદ્ધાર થાય તેવું ભણ, તારી આ ભૌતિક આબાદીની આવરદા કેટલી ? વળી એને વખાણે તો સમાધિ અને સદ્દગતિ ક્યાંથી મળવાની ? આ ભવની સાથે પરભવની પણ ચિંતા કરી બંને ભવ ઉજળા થાય તે શીખી, તેમાં પ્રગતિ સાધવાની."

ચંદુભાઈ પૂછ્યું: "મને એ બધું કોણ શીખવાડે ? ક્યાં શીખવા મળે ? એવું ભણાવનારા અત્યારે કોણ છે ?" 

બાએ કહ્યું : "હા, છે - આપણા ઉપાશ્રયે જઈ મહારાજ સાહેબને પૂછીશ એટલે તેવા ભણાવનાર મહારાજનું નામ તેઓ આપશે."

અને ચંદુભાઈને એવું સરનામું મળી ગયું. પૂ.શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ તે દિવસોમાં રાજસ્થાનમાં લુણાવા ગામે બિરાજમાન હતા. એમનાં ચરણોમાં બેસીને કહ્યું : "મને મારી બાએ અહીંયાં આ ભવ અને પરભવ ઉજાળે તેવું ભણવા માટે મોકલ્યો છે. તો તમે શીખવાડો.

તીવ્ર પ્રજ્ઞા, હૃદય નો ગુણવૈભવ, સહજ કુશળતા, નમ્રતા, વિનય વગેરે ગુણોથી પ્રસન્ન થયેલા ગુરુ મહારાજે આહલાદ ઉપજાવે એવી નમસ્કાર મંત્રની વિઘા આપવા માંડી. રોજ સાત-આઠ કલાકનું અધ્યયન શરૂ થયું. તેઓ ખૂબ ઊંડા-ઊંડા ઉતરતા ગયા. યોગ્ય દિશાદર્શક મળી ગયા.

આ અધ્યયન પરિપાક રૂપે તેમણે 'અનેકાન્ત અને સ્યાદ્વાદ' નામનું પુસ્તક લખ્યું. તેની હિન્દી આવૃત્તિ પણ વિ.સ. ૨૦૧૯માં પ્રકાશિત થઈ.

સાધનામાં સઘનતા લાવવા માટે, ધ્યાન, મૌન અને એકાંતની જરૂર લાગી. ગુરુ મહારાજ પાસેથી યોગ્ય દોરવણી લઈને અમદાવાદ નજીક, પાનસરની ધર્મશાળામાં રહેવાનું રાખ્યું. શ્રી મહાવીર પ્રભુની શીતળ છાયામાં નવા શિખરો સર કરતાં ગયા. ગુરુ મહારાજના માર્ગદર્શન મુજબ નમસ્કાર, સ્વાધ્યાય સંસ્કૃત વિભાગ અને પ્રાકૃત વિભાગનો સ્વાધ્યાય કરતા હતા. સાથે જ૫ ધ્યાન-ચિંતન-મનન અને નિદિધ્યાસન પણ કરતા હતા. પ્રાકૃત વિભાગના *'અરિહંત વંદનાવલી'* ના સ્વાધ્યાય વખતે હૃદય ગદગદ બની ગયું, *એ ગ્રંથ માથા પર મૂકી તોઓ નાચ્યા. એ વંદનાવલીના રચયિતા મહાભાગ મુનિવરને શતિશઃ વંદના કરતા ઉપકારના ભાવથી વિભોર બની ગયા. પાતાળમાંથી ઝરો ફૂટી નીકળે તેમ કાવ્યની સરવાણી વહી અને આજે જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માત હરખાવતા એ મનોરમ પંક્તિથી શરૂ થતી સ્તુતિ કલ્પલતાનું ગાન કરીને પ્રભુભક્તિમાં તલ્લીન બનીએ છીએ. તો આજે હજારોના હાર બની ચળકી રહી છે.*

તેઓ ધન્ય બની ગયા અને આપણને પણ ધન્ય બનાવી ગયા.

તેઓની આ ધર્મ અધ્યાત્મક્ષેત્રની ઊધ્વૉરોહણની યાત્રાની સમયમર્યાદા માત્ર પાંચ-સાત વર્ષની છે. કેવાં ઉત્તંગ શિખરો સર કર્યા : ચંદુભાઈની માતા ને *"ધન માતા જેણે ઉદરે ધરિયા"* એવું મંગલ વચન કહેવાય છે. આ મહા ઉપકાર ! જેથી આપણને આવી મહાન રચના મળી.

*આચાર્ય શ્રી પ્રધુમ્નસૂરિ પ્રેરિત
*(પાઠશાળામાંથી સાભાર-બીનાબહેન)

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...