Sunday, 24 May 2020

Swastik svastik

 સ્વસ્તિક મહિમાનું સંક્ષિપ્ત વર્ણન"

       જિનેશ્વર દેવની પૂજા કર્યા બાદ અષ્ટપ્રકારી પૂજાના એક અંગમાં સ્વસ્તિકનું વિધાન આવે છે. પાટલા ઉપર , ત્રણ ઢગલી અને ચંદ્ર આકારે થતું વિશેષ કાર્ય જેનો અર્થ :
       સ્વસ્તિક હંમેશા સફેદ અક્ષત (અખંડ ચોખા)થી થાય છે. સ્વસ્તિકની દરેક પાંખડી ચાર અલગ અલગ દિશામાં જાય છે. જેનો ઉદ્દેશ છે જીવની ચાર ગતિનું નિવારણ. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ચારે ગતિમાં દરેક જીવોનું ભ્રમણ એ સંસારી જીવોને હોય છે.
       સ્વસ્તિક ઉપર ત્રણ ઢગલી એ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સુચક છે. જેને જૈન દર્શનમાં રત્નત્રય કહેવાય. તેના ઉપર ચંદ્ર આકારે જણાતું ચિન્હ સિદ્ધશીલાનું પ્રતિક છે તેના ઉપર ગોળ ઢગલી એ સિદ્ધભગવંતનું પ્રતિક છે.
         આ સ્વસ્તિક, માત્ર પૂજાનું વિધાન પૂરતું જ નહીં! પરંતું એ વાસ્તવમાં સિદ્ધ યંત્ર છે. એમાં હૃદયના ભાવે તારક તીર્થંકરને સ્તુતિ થાય છે. હે કરુણાના સાગર! સંસારની ચાર ગતિનું નિવારણ કરી રત્નત્રયી એવા સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ આપ જેનાથી હું શાશ્વત એવું સુખ અને સિદ્ધત્વ પામું.
જીજ્ઞેશ ચંદ્રકાન્ત હંસરાજ લોડાયા (વારાપધર-ડોંબિવલી)

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...