*શ્રી અરિહંત ચેઇઆણં સૂત્ર*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
🔅આદાન નામ : અરિહંત ચેઇઆણં સૂત્ર
🔅ગૌણ નામ : ચૈત્યસ્તવ સૂત્ર
🔅પદ : ૧૫
🔅સંપદા : ૩
🔅ગુરુઅક્ષર : ૧૬
🔅લઘુ અક્ષર : ૭૩
🔅સર્વાક્ષર : ૮૯
*વિષય : પ્રભુજી વંદનાદિ કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન*
🙏 *શ્રી અરિહંત ચેઇઆણં સૂત્રની ત્રણ સંપદા અને અન્નત્થસૂત્રની પાંચ સંપદા અંગે* 🙏
🔅૧) *અભ્યુપગમસંપદા* : એક ચૈત્ય (દેરાસર) માં રહેલી પ્રતિમાઓની આરાધના કરવા માટે કાયોત્સર્ગ કરવાનું સ્વીકારેલું હોવાથી આ બે પદવાળી *અરિહંત ચેઇઆણં થી....કાઉસ્સગ્ગં* સુધી.
🔅૨) *નિમિત્ત સંપદા* : કાયોત્સર્ગ કરવાનું નિમિત્ત (પ્રયોજન) આ ૬ પદવાળી સંપદામાં *વંદન-વત્તિયાએ થી... નિરુવસગ્ગવત્તિયાએ* સુધી.
🔅૩) *હેતુ સંપદા* : શ્રદ્ધાદિ વિના કરેલો કાયોત્સર્ગ ઇચ્છીતફળને આપવા સમર્થ બને નહીં, તેથી કાયોત્સર્ગના હેતુ ને આ ૭ પદવાળી *સદ્ધાએ થી... ઠામિ કાઉસ્સગ્ગં* સુધી.
*સંકલન : લલીત J જૈન સિરોડી*
💐🙏💐🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment