કોણ બનશે કુમારપાળ...(ભાગ-૦૩)
➖➖➖➖➖➖➖➖
૩૧) કુમારપાળ રાજાને કયું ઉંચુ બિરુદ ગુરુ દ્વારા પ્રાપ્ત થયું?
➡️ પરમાહૅત
૩૨) કુમારપાળ રાજા પરમાત્માની પૂજા ક્યારે કરતા હતાં?
➡️ ત્રિકાળ
૩૩) કુમારપાળ રાજા આઠમ ચૌદશના કયું તપ કરતાં હતાં?
➡️ ઉપવાસ
૩૪) કુમારપાળ રાજાના ગુરુએ કઈ દેવીની સાધના વિશેષ રીતે કરી હતી?
➡️ સરસ્વતી
૩૫) કુમારપાળ રાજા કયા તીર્થંકરના ગણધર બની મોક્ષે જશે?
➡️ પદ્મનાભસ્વામી
૩૬) કુમારપાળ રાજાના ગુરુના ગુરુનું નામ શું હતું?
➡️ દેવચન્દ્રસૂરિજી
૩૭) કુમારપાળ રાજાના ગુરુદેવે રચેલા સિદ્ધ હેમવ્યાકરણની કેટલી કોપી સુવર્ણાક્ષરે તૈયાર કરાવી?
➡️ ૦૭
૩૮) કુમારપાળ રાજા વર્ષાકાળમાં કેટલી વિગઈ વાપરતાં ન હતાં?
➡️ ૦૫
૩૯) કુમારપાળ રાજા પર્વ દિવસે ઓછામાં ઓછું કયું તપ કરતાં હતાં?
➡️ એકાસણું
૪૦) કુમારપાળ રાજા દર વર્ષે કેટલી સોનામહોર સાધર્મિકો પાછળ વાપરતા?
➡️ કરોડ
૪૧) કુમારપાળ રાજાના ગુરુનું મુનિપણાનું નામ શું હતું?
➡️ મુનિ સોમચંદ્ર
૪૨) કુમારપાળ રાજાની મુખ્ય પટરાણીનું નામ શું હતું?
➡️ ભોપાલદેવી
૪૩) કુમારપાળ રાજાએ ઉભા કરેલા જિનાલયો કોણે ધરાશાયી બનાવ્યા?
➡️ અજયપાળ
૪૪) કુમારપાળ રાજા ઓછામાં ઓછી ૧ સાધર્મિકને કેટલી સોનામહોર આપતાં?
➡️ ૧૦૦
૪૫) કુમારપાળ રાજાએ જીવનના અંત સમય સુધી કુલ કેટલી સો.સાધ.ભક્તિ પાછળ ખર્ચી?
➡️ ૧૪ ક્રોડ
✒️ પં. દીપક બી. કોઠારી
સંકલન: કરિશ્મા ચેતન નાગડા (નલિયા)
No comments:
Post a Comment