🌸પ્રભુ સંભવનાથને ઓળખો....
➖➖➖➖➖➖➖➖➖
(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ- ત્રણ
(૦૨) જન્મ અને દિક્ષા સ્થળ -શ્રાવસ્તી નગરી
(૦૩) તીર્થંકર નામકર્મ - વિપુલ વાહન ના ભવ માં
(૦૪) દેવલોકનો અંતિમ ભવ- ઉપરની ગ્રૈવેયક
(૦૫) ચ્યવન કલ્યાણક - ફાગણ સુદ આઠમે મૃગશિર નક્ષત્રમાં થયું
(૦૬) માતા નું નામ - સેનાદેવી અને પિતાનું નામ- જિતારિ રાજા
(૦૭) વંશ - ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ
(૦૮) ગર્ભવાસ - નવમાસ અને છ દિવસ
(૦૯) લંછન - ઘોડો અને વર્ણ -સુવર્ણ
(૧૦) જન્મ કલ્યાણક - માગસર-સુદ-૧૪ મૃગશિર નક્ષત્રમાં થયો
(૧૧) શરીર પ્રમાણ -૪૦૦ ધનુષ્ય
(૧૨) દિક્ષા કલ્યાણક - માગસર-સુદ-૧૫ મૃગશિર નક્ષત્રમાં થઇ
(૧૩) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે
(૧૪) દિક્ષા શીબીકા - સીધ્ધાર્થા અને દિક્ષાતપ - છઠ્ઠ
(૧૫) પ્રથમ પારણું - શ્રાવસ્તી નગરી માં સુરેન્દ્રદત્ત ના હાથે પરમાન્ન થી થયું
(૧૬) છદ્મસ્થા અવસ્થા- ચૌદ વરસ
(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક- તપછઠ્ઠ અને પ્રિયંગુવ્રુક્ષની નીચે સાવત્થી નગરીમાં આસોવદ -૫ મૃગશિર નક્ષત્રમાં થયું
(૧૮) શાશનદેવ- ત્રિમુખયક્ષ અને શાશનદેવી -દુરિતારિદેવી
(૧૯) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ- બે ગાઉ અને ૮૦૦ ધનુષ્ય
(૨૦)પ્રથમ દેશના નો વિષય - અનિત્ય ભાવના
(૨૧) સાધુ - ૨૦૦,૦૦૦ અને સાધ્વી શ્યામા આદિ-૩૩૬૦૦૦
(૨૨) શ્રાવક- ૨૯૩૦૦૦ અને શ્રાવિકા -૫૩૬૦૦૦
(૨૩) કેવળજ્ઞાની- ૧૫૦૦૦,મન:પર્યાવજ્ઞાની-૧૨૧૫૦ અને અવધિજ્ઞાની-૯૬૦૦
(૨૪) ચૌદપૂર્વધર-૨૧૫૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૯૮૦૦ તથા વાદી-૧૨૦૦૦
(૨૫) આયુષ્ય -૬૦ લાખ પૂર્વ
(૨૬) નિર્વાણ કલ્યાણક- ચૈત્ર સુદ-૫ મૃગશિર નક્ષત્રમાં થયું
(૨૭) મોક્ષ- સમેતશિખર, મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન
(૨૮) મોક્ષ સાથે-૧૦૦૦ સાધુ સાથે
(૨૯) ગણધર - ચારુ આદિ-૧૦૨
(૩૦) શ્રી અભિનંદન પ્રભુ નું અંતર- દસલાખ કોટી સાગરોપમ
No comments:
Post a Comment