ઇષ્ટફળ સિદ્ધિની વ્યાખ્યા શાસ્ત્રમાં શું છે ?
🅰_વૃન્દારુવૃત્તિમાં ઇષ્ટફલસિદ્ધિ:ની વ્યાખ્યા અૈહિક પદાર્થની પ્રાપ્તિ જેનાથી ઉપગૃહીત થનારાનુ ચિત્ત સ્વસ્થ થાય
એટલે સ્પષ્ટ થઇ જાય છે કે પ્રભુ પાસે ભૌતિક ચીજ ન મંગાય એ વાત ઊભી નથી રહેતી ♦
પ્રશ્નોતર ચિંતામણિમાં તો એકદમ સ્પષ્ટ છે
ઇષ્ટફલસિદ્ધિએ મોક્ષ ની માંગણી કરી કે બીજી ?
ઉત્તર _ વૃન્દારુવૃત્તિ વગેરેને અનુસરીને જણાય છે કે ધર્માનુષ્ઠાનોનુ આચરણ નિર્વિઘ્નપણે થઇ શકે એમાં કારણભૂત આ લોકમાં નિર્વાહ કરી આપે એવું દ્રવ્યાદી પૈસા વગેરેનુ સુખ માંગ્યુ છે
: અનુપ્રેક્ષા ....
શા માટે વિતરાગ પાસે જ મંગાય .
પાર્ટ _61
આશયશુદ્ધિ અધિકાર
ચા પીતા નવકાર ગણાય પણ નવકારવાલી ગણતા ચા ના પીવાય .
અર્થ કામ માટે પણ ધર્મ જ કરાય પણ ઉત્તમ જીવોએ ધર્મ કરતા આશંસા ન ઈચ્છવી તેમ ગુરુ કહેતા હોય છે.
નીરાશંસ ભાવે કરેલ આરાધના આત્મશુદ્ધિમાં પ્રગતિદાયક છે .માટે ગુરુ એમ કહે કે તુ સાધના કરતા આશંસા આદિ ના રાખ.પણ આશંસાયુક્ત જીવોને ધર્મનો નિષેધ ક્યારેય ના કરે
ડાઘ લાગ્યો હોય તો ડાઘ દૂર કરાય કપડાને ફાડિને ફેંકી ન દેવાય
અર્થ કામ ખરાબ છે માટે એ સુખની લાલસા છોડાવાય સર્વજ્ઞ પ્રણીત ધર્મ નહિં.
તે ડાઘ (અર્થ -કામ -વિષય -કષાય પર ઉભેલા સંસાર પ્રત્યે ત્યાજ્ય ભાવ ઝગાડે )નીકાળવા કહે.
ધર્મ હરહંમેશ રમ્ય છે.
અનુપ્રેક્ષા . . . . .
પ્રભુ તો વિતરાગ છે તો પછી તેમની કૃપા થકી મળ્યું કઈ રીતે કહેવાય ?
🅰-જેવી રીતે ચિંતામણિ રત્ન ,દક્ષિણાવર્તશંખ ,કલ્પવૃક્ષ,
કામકુંભ વગેરે જો કે પૂજ્નાર પર રાગ નથી કરતા રાગથી હાથોહાથ કશુ આપતા નથી છતા યોગ્ય આત્માઓ એનાં દ્વારા મનવાંછિત વસ્તુ પ્રાપ્ત કરે છે
એમ પ્રભુ પૂજક કે અપૂજક પર રાગ -દ્વેષ ન કરનાર છતા એમને સ્તુતિવિષય બનાવવા દ્વારા ભવ્યાત્માઓ ઈષ્ટફલ મેળવે છે
પ .પૂ ભુવનભાનુ સૂરિશ્વરજી મ .સા પરમતેજ
No comments:
Post a Comment