ગિરનાર નો મહિમા :
1) ગિરનારમાં આવેલી નેમિનાથ ભગવાનની પ્રતિમા કોઈ શસ્ત્ર થી છેદાય કે ભેદાય તેમ નથી.
2) ગિરનાર એ શત્રુંજયગિરિ નુ પાંચમું શિખર હોવાથી તે પાંચમું જ્ઞાન એટલે કે કેવળજ્ઞાન અપાવનારુ છે.
3) ગિરનાર નુ બીજુ નામ રૈવતગિરિ છે.
4) ગિરનારની ભક્તિ કરનારને આ ભવમા કે આવતા ભવમાં દારિદ્રય આવતુ નથી.
5) ગિરનાર મહાતીર્થ એ પૃથ્વી ના તિલક સમાન છે.
6) ગિરનાર મહાતીર્થ એ પુણ્ય નો ઢગલો છે.
7) ગિરનાર મહાતીથૅમાં નિવાસ કરતા તિયૅચોં (જનાવરો) પણ ૮ ભવમાં મોક્ષપદને પામે છે.
8) પાંચમા આરાના અંતે જ્યારે શત્રુંજય ની ઉંચાઈ ધટી ને ૭ હાથ થશે ત્યારે ગિરનાર ની ઉંચાઈ ૧૦૦ ધનુષ્ય રહેશે. ગિરનાર ગિરિવર પણ શત્રુંજયગિરિની માફક પ્રાયઃ સાશ્વત છે.
9) સહસાવનની એક ગુફામાં ભુત્-ભાવિ અને વતૅમાન એમ ત્રણ ચોવિસિના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે.
10) નેમિનાથ ભગવાન ના સમયે નાના ભાઈ ક્રુષ્ણ મહારાજે તીર્થ ભક્તિના પ્રભાવે તીર્થંકર નામ કર્મ બાંધ્યુ હતું એટલે આવતી ચોવિસિમા તે આપના ૧૨ મા તીર્થંકર શ્રી અમમસ્વામી થશે.
11) ગિરનાર મહાતીર્થમાં દરેક શિખરોની ઉપર જલ, સ્થળ ને આકાશમાં ફરનાળા જે જે જીવો હોય છે તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે.
12) ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા મહાપાપના કરનારા અને મહાદુષ્ટ એવા કુષ્ટાદિક રોગવાળા જીવો પણ સર્વસુખનાં ભાજન થાય છે.
No comments:
Post a Comment